સંત શ્રી રોહીદાસ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ.

આ ક્રેડિટ સોસાયટી નું નામ "સંત શ્રી રોહીદાસ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા" રાખવામાં આવેલ છે.

આ સોસાયટી નું સંચાલન "વડોદરા રોહિત સમાજ" સંસ્થા ના હોદ્દેદારો તથા તથા કારોબારી સભ્યોની એક "વ્યવસ્થાપક કમિટી" બનાવવામાં આવી છે અને તેના દ્વારા આ સોસાયટી નું સંચાલન કરવામાં આવે છે.આ ક્રેડિટ સોસાયટીની સ્થાપના તારીખ 13.5.2018 ના રોજ કરવામાં આવી છે (4) આ ક્રેડિટ સોસાયટી નોંધણી નંબર REG/VAD/SE(SH)/46078/2018 છે.


આ ક્રેડિટ સોસાયટીની સ્થાપના ના હેતુઓ આ મુજબ છે.

  • સભાસદો માં કરકસર,બચત અને પરસ્પર સહાય ને ઉત્તેજન આપવાનો છે
  • મંડળીના સભાસદોને સાધારણ વ્યાજે ધિરાણ આપવા માટે ભંડોળ એકઠું કરવાનો છે.
  • સભાસદો માં બચત ની ભાવના કેળવવાનો હેતુ છે. (ડ) આર્થિક જરૂરિયાત વાળા સભાસદો ને બાળકોના શૈક્ષણિક, માંદગી તથા સામાજિક કારણોસર નજીવા વ્યાજે ધિરાણ(લોન) આપી મદદરૂપ થવાનો હેતુ છે.

પ્રારંભિક રીતે ૧૦૦ સભાસદો બનાવીને આ ક્રેડિટ સોસાયટી ની નોંધણી કરવામાં આવી છે જેમાં હાલમાં 140 સભાસદો નોંધાયેલ છે.

સોસાયટીમાં સભાસદ થવા માટે ફી આ પ્રમાણે છે.

  • દાખલ ફી (વહીવટી ખર્ચ) ૱ 110.
  • માસિક ફરજિયાત બચત ૱ 200.
  • શેર ફાડો (શેર નંગ 10 × 100) ૱ 1000. કુલ ૱ 1310.

ઉપર જણાવ્યા મુજબ ૱ 1310 રોકડ સાથે સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ નિયત અરજી માં વિગતો ભરીને સભાસદ થઈ શકાશે.

આ ક્રેડિટ સોસાયટી માં ઓગસ્ટ 2018 થી નીયમિત રીતે દરેક સભાસદોના માસિક ૱ 200 પ્રમાણે ફરજીયાત બચત લેવામાં આવે છે.

ક્રેડીટ સોસાયટીમાં ૱ ૨૦,૦૦૦ થી એક લાખ સુધી નુ ધિરાણ/લોન વાર્ષિક ૧૨ % ના વ્યાજે આપવાનું ઠરાવવામાં આવેલ છે. હાલમાં આશરે ૩૦ જેટલા સભાસદો ને રૂપિયા ૨૦,૦૦૦ પ્રમાણે ધિરાણ (લોન) આપવામાં આવેલ છે જેનો શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ થયેલ છે. માસિક રૂ.1000 મુદ્લ + વ્યાજ + ફરજીયાત બચત પ્રમાણે ધિરાણ વસૂલવામાં આવે છે.

લી.
મુકેશભાઈ કે.મકવાણા
મંત્રી, વડોદરા રોહિત સમાજ તથા ક્રેડીટ સોસાયટી.